IndiaIndia
WorldWorld
Toll free number

1800 22 7979

Chat on WhatsApp

+91 88799 00414

Business hours

10am - 6pm

નામ મોટું લક્ષણ ખોટું!

20 mins. read

‘અહીં પણ આપણે જ લીડરશિપ લીધી?’ સૂન્ન થઈને રીતસર માથે હાથ ટેકવીને બેઠેલાં હતાં ત્યારે વિભૂતિ ના આ વાક્યએ તે વાતાવરણમાં પણ હાસ્યની લહેર ફેલાવી દીધી. નવ માર્ચે મધરાત્રે અમારા ટુર મેનેજર મેઘરાજને પુણેની નાયડુ હોસ્પિટલમાંથી ફોન આવ્યો, ‘તમે જે સહેલગાહમાં જઈ આવ્યા તેમાંથી ત્રણ જણના ટેસ્ટ કોરોના પોઝિટિવ છે. આ સહેલગાહમાંના પર્યટકોની યાદી અમને જોઈએ છે.’ મેઘરાજે વિવેક કોચરેકરને ફોન કરીને જગાડ્યો, આ પછી અમે આઠ-દસ જણ કોન્ફરન્સ કોલ પર આવ્યાં. અમારી ગેસ્ટ રિલેશન મેનેજર ઈશિતા શાહે ડોક્ટરને ફોન જોડ્યો. એક માર્ચે પાછા આવેલા ચાળીસ જણની ટુર વીણા વર્લ્ડની જ હતી. આથી આ ફોન સાચો જ હશે એવું નવ્વાણુ ટકા લાગતું હતું, પરંતુ આપણને એક ટકો આશા હોય છે કે આ ફોન સાચો નહીં હોય તો આગળની પરિસ્થિતી ટળશે, કારણ કે અત્યારેચ અમારી નજર સમક્ષ બધીચ ટીવી ચેનલ્સ છાપઓ, સોશિયલ મિડિયાપર વીણા વર્લ્ડ વિશેના આ સમાચાર આગ્રસ્થાને અમને દેખાવા લાગ્યા હતાં. ડોક્ટર સાથે વાત થઈ, સમાચાર સાચા હતા, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડો. વાવરે પાસે બધા પર્યટકોની યાદી અને સહેલગાહનો કાર્યક્રમ ઈશિતાએ મોકલી દીધા. અમને રાત્રે નજર સામે દેખાયેલા સમાચાર બીજા દિવસે સવારે વાસ્તવમાં દેખાયા. મહારાષ્ટ્રમાં પ્રથમ કોરોનાગ્રસ્ત દરદી દુબઈથી ટ્રાન્સપોર્ટ થયો હતો તે વીણા વર્લ્ડની ટુરમાંથી આવ્યો હતો. આ ચાળીસ જણનું ગ્રુપ હતું. આ સમાચાર ટીવી ચેનલ્સ પર બે દિવસ સતત ચાલતા રહ્યા. અખબારોએ જોકે મોટે ભાગે અમારા નામનો ઉલ્લેખ ટાળ્યો હતો, પરંતુ સમાચાર જ એટલા સનસનાટીજનક હતા કે મહારાષ્ટ્ર સાથે સંબંધિત આ સમાચારની જાણ આખી દુનિયાને થઇ ગઈ.

આ પછી બે અઠવાડિયાં અમારી આખી ટીમ માટે બહુ જ મુશ્કેલ નીવડ્યા. કોઈ ટીવી ચેનલ વીણા વર્લ્ડનું નામ વારંવાર પ્રસારિત કરતી હતી, સોશિયલ મિડિયા પર કોણ શું બોલે છે તેના સમાચાર એકબીજાને કહેવામાં ટીમ વ્યસ્ત થઈ ગઈ. તેમને તે ચિંતાયુક્ત હતાશ માનસિકતામાંથી બહાર કાઢવાનું મહત્ત્વનું હતું. તેમનું પણ બરોબર હતું, છેલ્લાં સાત વર્ષ થી દરેકે મહેનત કરીને ભારતીય પર્યટકો માટે
વીણા વર્લ્ડના નામની એક મજબૂત બ્રાન્ડ ઊભી કરી હતી. અને સતત પ્રસારિત થતા
આ સમાચારને લીધે આ બ્રાન્ડ અને પ્રતિષ્ઠાપર છંટા ઉઠી રહ્યા હતા.

‘સમાચાર જુઓ નહીં. સોશિયલ મિડિયા પર જવાનું ટાળો, જે કાંઈ ડેમેજ થવાનું તે થઈ ચૂક્યું છે, હવે મનથી ભાંગી પડવાનું નથી...’ એવું હું તેમને કહેતી હતી, પરંતુ તે કામચલાઉ સાંત્વન હતું તેની મને પણ જાણ હતી. આ બધું ચાલુ હતું ત્યાં કોઈક વક્રદૃષ્ટાએ વધુ મુશ્કેલીઓ લાવતાં અમે હોસ્પિટલને જે કોન્ફિડેન્શિયલ યાદી આપી હતી તે ડોક્ટરો અને અધિકારીઓની જાણ બહાર વાઈરલ કરી નાખી.
તે કેટલું મોટું પાપ કરી રહ્યો છે તે તેના ધ્યાનમાં નહીં આવ્યું હોય? આ લિસ્ટ વાઈરલ થયા પછી આ સહેલગાહના ચાળીસ પર્યટકોમાંથી અનેકોને એટલી માનહાનિ સહન કરવી પડી કે તેમનું દુ:ખ અને ત્રાસની તીવ્રતા કોરોના બીમારી કરતાં પણ વધુ ભયાનક હતાં. સહેલગાહમાં જઈને જાણે તેમણે કોઈ ગુનો કર્યો હતો. ટીવી પર-અખબારોમાં તેમને તરછોડવામાં આવ્યા હોવાના સમાચાર આવવા લાગ્યા પછી અમે ગુનાહિત ભાવનાથી દિવસે દિવસે તૂટતાં હતાં. ‘આ વિશ્ર્વ જ મારું ઘર’ કહેનારી અને જીવનારી નવી પેઢીને ખરેખર શું થયું તેની જાણ નહોતી. હવે સમાચારના માધ્યમથી તેમને જાણવા મળ્યું હતું. આ વાત વધી ગઈ ત્યારે પુણેના ડિવિઝનલ કમિશનર શ્રી દીપક મ્હૈસેકરે બહુ જ સારું કામ કર્યું. તેમણે એક પત્રકાર પરિષદ સંબોધિને આ લિસ્ટ વાઈરલ કરનાર સામે સખત કાર્યવાહી કરાશે એવી ઘોષણા કરી. આ જ રીતે ‘ખોટા સમાચારો અથવા અફવાઓ વાઈરલ કરનાર પર સતત નજર રાખવામાં આવી રહી છે’ એવો ઈશારો પણ તેમણે આપ્યો.

સામાન્ય રીતે અમારી સહેલગાહમાંથી આવેલા આઠ જણને કોરોના પોઝિટિવ તરીકે ઘોષિત કરાયા હતા અને મહારાષ્ટ્ર પણ તેને લીધે દેશમાં કોવિડ-19 માં અવ્વલ નંબર પર આવ્યું હતું. હવે બધાની ફિકર થવા લાગી હતી. દુબઈમાં તે મહિનામાં ઘણી બધી ટુર્સ જઈ આવી હતી. સેંકડો પ્રવાસીઓ અમારી તે સહેલગાહનો આનંદ લઈને પાછા આવ્યા હતા.

આ એક સહેલગાહના પ્રવાસી જ પોઝિટિવ કઈ રીતે નીકળ્યા તેનો કોઈ ક્લુ મળતો નહોતો. સન્માનનીય મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવજી ઠાકરેએ પણ બહુ જ સંવેદનશીલતાથી તપાસ કરી. કેટલી સહેલગાહ હજુ ચાલુ છે? કેટલા પર્યટકો દેશની બહાર છે? આવું પૂછીને પર્યટકોને ભારતમાં આવ્યા પછી કાળજી લેવાની સૂચનાઓ પણ આપી. આ જ રીતે મહારાષ્ટ્રના પ્રિન્સિપલ હેલ્થ સેક્રેટરી શ્રી પ્રદીપજી વ્યાસના સંપર્કમાં રહેવા માટે જણાવ્યું.

આ પછી વધુ એક સંકટ આવી પડ્યું. મહારાષ્ટ્રની અમારી અને અન્ય પર્યટન સંસ્થાઓની ઓફિસીસમાં સ્થાનિક અધિકારીઓએ આવીને ‘ફેબ્રુઆરી માર્ચમાં વિદેશ પ્રવાસે જઈને આવેલા પર્યટકોની યાદી અને તેમની કોન્ટેક્ટ ડિટેઈલ્સ તાત્કાલિક આપો, અન્યથા કાયદેસર કાર્યવાહીનો સામનો કરવો પડશે’ એવું કહેવા લાગ્યા. એટલે કે, કોવિડ-19 ને રોકવા માટેની તે જવાબદારી હતી અને અમે તેમને સહયોગ કરવાનું અપેક્ષિત હતું. બલકે, તે અમારી ફરજ સાથે જવાબદારી પણ હતી. જોકે આ રીતે આપેલી લિસ્ટ વાઈરલ થઈને અમારા પર્યટકોને પ્રચંડ માનસિક તાણ ભોગવવી પડી હતી. આ લિસ્ટ વાઈરલ થાય તો? એવો ડર હતો. માથું સૂન્ન થઈ ગયું હતું.
અંતે શ્રી પ્રદીપજી વ્યાસને પરિસ્થિતિની જાણ કરી. તે સમયે બધા પર પ્રચંડ તાણની કલ્પના હતી છતાં તેમણે કહ્યું. ‘લિસ્ટ તો જોઈએ છે પણ તમે તે મારી પાસે મોકલો અને તેમ તે અધિકારીઓને જાન કરો, કોઈને લિસ્ટ જોઈતી હોય તો અમારા  કાર્યાલયમાંથી તી આપવામાં આવશે.’ તે આદેશનું પાલન કરીને અમે ઘણી બધી સિટીવાઈઝ લિસ્ટ્સ તૈયાર કરીને તેમની પાસે મોકલી.

તણાવયુક્ત પરિસ્થિતિમાં વીણા વર્લ્ડનું નામ સર્વત્ર અલગ કારણો માટે ગાજતું હતું અને અમારા પગ નીચેની જમીન સરકતી હતી ત્યાં સન્માનનીય મુખ્યમંત્રીજીનો કોલ દિલાસો આપનારો રહ્યો. પ્રિન્સિપલ હેલ્થ સેક્રેટરીના કાર્યાલય અને પુણેના ડિવિઝનલ કમિશનરના કાર્યાલય તરફથી મળેલા સહયોગથી અમારું મનોબળ
વધતું ગયું.

આ બધું થઈ રહયું હતું ત્યારે (‘વીણા વર્લ્ડે કોરોના મહારાષ્ટ્રમાં લાવ્યો માટે અમને બહિષ્કાર કરો’) ‘તેમને પાઠ ભણાવવો જોઈએ.’ આવા અનેક સમાચારોથી સોશિયલ મિડિયા ઊભરાઈ ગયું. એક હેમરાજ નામે વ્યક્તિએ તો ‘હરામખોર છે સાલા...’ એવી પોતાના નામ સાથે પોસ્ટ ફેસબુક પર મૂકી. આશ્ર્ચર્યની વાત એ છે કે તે વ્યક્તિ તેના ફેસબુક અકાઉન્ટની માહિતી અનુસાર મિનિસ્ટ્રી ઓફ હોમ
અફેર્સ-ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયામાં કામ કરે છે. સરકારી યંત્રણા અમને સમજી લેતી હતી ત્યારે એક જવાબદાર કાર્યાલયની વ્યક્તિ આવું કઈ રીતે લખી શકે તેનું અમને (દુ:ખ થઈ રહ્યું હતું) આટલો વસવસો આવી વ્યક્તિઓના મનમાં શા માટે હોય છે? આ વીણા વર્લ્ડ વિશેનો ગુસ્સો હતો, અન્યોની સફળતા સામે અદેખાઈ હતી કે વિદેશમાં જતા લોકો વિશેનું દુ:ખ હતું?

આ સર્વ ઘટનાઓ વચ્ચે થોડો સમય મનોબળ પડી ભાંગ્યું હતું. છતાં અમુક સારી બાબતો પણ બનતી હતી. અમારા પર્યટક જે હોસ્પિટલમાં હતા તેમની તબિયત સ્થિર હોવાની માહિતી મળતી હતી. આપણાં સન્માનનીય મેયર સૌ. કિશોરીતાઈ પેડણેકર સાથે ઓળખાણ થઈ. તેમની પાસે સામાન્ય રીતે અમારા વિશે અનેક ફરિયાદો ગઈ હતી. ‘દરેક ફરિયાદનું નિવારણ કરવા માટે તેઓ ફરિયાદ જેમના વિશે છે તેમના સુધી પહોંચાડીને તેમાં તેમણે ધ્યાન આપીને તેનો ઉકેલ લાવવાનો એવી તેમની કાર્યશૈલી હતી,’ જે અમને ગમી. તેમણે વીણા વર્લ્ડ જ નહીં પણ બધી પર્યટન સંસ્થાઓની, વિમાન કંપનીઓની હાલની કટોકટીની પરિસ્થિતિમાં તેમણે લીધેલી ભૂમિકાની, દરેક નાની-મોટી પર્યટન સંસ્થાઓ તેમની રીતે જનરેટ કરે તે એમ્પ્લોયમેન્ટની પરિસ્થિતિનો કયાસ મેળવ્યો. અને તેમને અમે વીણા વર્લ્ડ દ્વારા પ્રસારિત કરાયેલી જાહેર નોટિસ પણ મોકલી. અમે એક વર્ષની, એટલે કે, એકત્રીસ માર્ચ બે હજાર એકવીસ સુધીનો સમયગાળો, સહેલગાહ મોકૂફ રાખવા માટે આપ્યો છે અને તે જ ઓરિજિનલ સહેલગાહની કિંમત કમિટ કરી છે. હમણાંનો એક્ચ્યુઅલ ખર્ચ અને અટવાયેલાં નાણાં સાથે નોમિનલ ટુર ટ્રાન્સફર ચાર્જીસ લાગુ કરીને બાકી નાણાં પર્યટકોના ક્રેડિટ શેલમાં રાખ્યા છે. હાલમાં સર્વત્ર બંધ છે, જેથી બધું ચાલુ થશે ત્યારે આ ચાર્જીસમાં વધુ થોડું વળતર મળે તો તે પણ પર્યટકોની ક્રેડિટ શેલમાં ઉમેરવામાં આવશે તે પણ તેમને કહ્યા પછી તેમણે કહ્યું, ‘મારું કહેવાનું પણ તે જ છે. રિફંડ નહીં જોઈએ પણ આગળ વધુ આર્થિક બોજ નહીં લાદતાં તે જ સહેલગાહ કરી શકાવી જોઈએ.’ તેમણે વ્હોટ્સએપ ફોર્વર્ડ કરેલી વ્યક્તિનો નંબર મને મોકલ્યો. તેની સાથે મેં વાત કરી. શ્રી લક્ષ્મણ સાનપ પુણે અમારા શુભેચ્છક છે. મારો એકાદ લેખ ગમે તો ખાસ જાણ કરતા. તેમની જોડે ઈમેઈલ મૈત્રી હતી. તેમણે કહ્યું, મારી માર્ચમાંની ટુર હતી તે જશે કે નહીં તેની એન્કઝાઈટી હતી. તમારા કાર્યાલયમાં પૂછ્યું તો ટુર ઓન છે કહે છે અને કેન્સલ કરાય તો આટલાં નાણાં જશે એમ કહે છે.’ મેં કહ્યું, ‘બરોબર હતું, એન્કઝાઈટી સંપૂર્ણ વાતાવરણમાં જ હતી અને છે. નોન અફેક્ટેડ દેશ અમારે ત્યાં બધું ઓલવેલ છે, તમે આવો એમ કહેતા હતા. દરેક એરલાઈન જ્યાં સુધી ચાલુ છીએ ત્યાં સુધી કેન્સલેશન ફુલ લાગશે એમ કહેતી હતી. આવી પરિસ્થિતિમાં અમે પણ પર્યટકોને તે જ કહેતા હતા. મૂંઝવણની પરિસ્થિતિ સર્વત્ર જ છે. જાપાન આ વખતનું ઓલિમ્પિક તેમને ત્યાં જ યોજાય તે માટે કેવી ખટપટ કરતો હતો તે આપણે જોયું જ છે. અમેરિકા જેવી મહાસત્તાએ પહેલા કેટલું લાઈટ્લી લીધું તે પણ આપણે અનુભવ્યું છે. બ્રાઝિલ હમણાં સુધી આને સાદો ઈન્ફ્લુએન્ઝા કહેતો હતો.
આ ‘ન ભૂતો:’ પરિસ્થિતિ છે અને દુનિયાભરમાં મૂંઝવણની સ્થિતિ છે. હમણાં પણ એરલાઈન્સ નાણાં પાછાં આપતી નથી પણ તેઓ ફ્યુચર માટે ક્રેડિટ શેલમાં રાખી રહી છે. અમુકે તેના પુન:ઉપયોગ માટે એકત્રીસ જુલાઈ, 2020 તારીખ આપી છે તો અમુકે સપ્ટેમ્બર અથવા ડિસેમ્બર સુધીની તારીખો પણ આપી છે. ઉપરાંત તે સમયનો ફેર ડિફરન્સ ભરવો પડશે એ પણ સ્પષ્ટ કર્યું છે. આવું છે ત્યારે અમે તે જ સહેલગાહ ખર્ચની અને એક વર્ષની જવાબદારી લીધી છે. આ અમે અમારી 17 અને 18 માર્ચના રોજ અખબારોમાં પ્રસિદ્ધ કરેલી જાહેર નોટિસ નંબર-2માં લખ્યું છે.
અમે અમારા પર્યટકો માટે યોગ્ય થે તે જ કરીશું તે બાબતે નિશ્ર્ચિંત રહેજો.
અને તેથી જ તે પર્યટકો પણ આટલો પ્રેમ કરે છે. ફેબ્રુઆરી માર્ચમાં ભારતમાંથી વધુમાં વધુ પર્યટકો વીણા વર્લ્ડ તરફથી જઈ આવ્યા તે એનું જ પરિણામ છે.
જે જઈ શક્યા નહીં તેમાં તમારી એક ફેમિલી હતી. ભવિષ્યમાં જ્યારે પરિસ્થિતિ થાળે પડશે ત્યારે તમારી સહેલગાહ તેટલી જ ખુશીથી પાર પડશે તેની ખાતરી રાખજો...’ શ્રી સાનપ સાથે ઘણી વાર વાતો કરી. આ સંપૂર્ણ સંવાદ અહીં આપવાનું કારણ એ છે કે આવી જ ભાવનાઓ અનેકો ની હશે અને તે બધા માટે આ સંવાદ અનુરૂપ ઠરશે.

એપ્રિલ-મે એટલે પર્યટન ક્ષેત્ર માટે અને અમારા માટે મોસ્ટ બિઝિયેસ્ટ સીઝન. આખી વીણા વર્લ્ડ ટીમ બાંયો ચઢાવીને રાતદિવસ કામ કરતી હોય છે. સમરની રજાઓ પડે એટલે દિવસમાં વીણા વર્લ્ડની 100થી વધુ સહેલગાહો રોજ મુંબઈ એરપોર્ટ પરથી દેશવિદેશમાં પ્રસ્થાન કરતી હોય છે. અમારા ટુર મેનેજર્સ પર્યટકોને તેમના ડ્રીમ ડેસ્ટિનેશન પર લઈ જઈને તેમને અપેક્ષિત આનંદ આપવા માટે બહુ ઉત્સાહમાં હોય છે. તેમને માટે આ વર્ષના સૌથી મહત્ત્વના મહિના હોય છે. દે ધનાધન એવી
2020 ની રેકોર્ડબ્રેક શરૂઆત થઈ ત્યાં જ કોવિડ-19 એ ટુરીઝમ ઈન્ડસ્ટ્રી, હોટેલ્સ ઈન્ડસ્ટ્રી, એવિયેશન ઈન્ડસ્ટ્રીને એકદમ ભોંયભેગી કરી નાખી અને હવે તો દરેક ઈન્ડસ્ટ્રી આ સંકટનો શિકાર બની રહી છે. વારુ, આ વાતાવરણમાં સમર વેકેશનમાં જતી સહેલગાહ આપણી સરકારની અથવા જ્યાં જવાનું છે તે દેશની એડવાઈઝરી આવવાથી પોસ્ટપોન, એટલે કે, આગળ ઠેલવી પડી છે. અમારી જાહેર નોટિસ દ્વારા અમે તેની માહિતી બધા સુધી પહોંચાડી છે અને અમારી પાસે યુદ્ધ સ્તરે લોકડાઉન થયા પછીની બધી સહેલગાહના પર્યટકો સાથે કોમ્યુનિકેશન કરવાનું શરૂ થયું. આજે પણ અમારી મોટી ટીમ લિમિટેડ રિસોર્સીસમાં ઘરેથી કામ કરી રહી છે અને પર્યટકો સાથે સંવાદ સાધી રહી છે. ટૂંકમાં, હજારો પર્યટકોનાં અને ટુર મેનેજર્સના સમર વેકેશનનાં સપનાં ચકનાચૂર થયાં છે.

જોકે અમારો માર્ચ મેનિયા ખતમ થયો નહોતો. વીણા વર્લ્ડ વધુ એક બાબતને લીધે ફરીથી સોશિયલ મિડિયા પર ચમક્યું. માર્ચની સહેલગાહમાં ગયેલા એક નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ અને માજી અધ્યક્ષ જિલ્લા ગ્રાહક મંચ પુણેએ ‘નામ મોટું લક્ષણ ખોટું’ એવી પોસ્ટ કરી હતી. તે એટલું વાઈરલ થયું કે રાજકીય નેતા, અમારા પર્યટકો, શુભેચ્છકો અને સંબંધીઓએ આ પોસ્ટ અમને મોકલી. કોઈએ પૂછ્યું, આ ‘સાચું છે?’ કોઈએ પૂછ્યું ‘સંભાળીને રહો!’ કોઈએ કહ્યું, ‘અમારો વીણા વર્લ્ડ પર વિશ્વાસ છે.’ જોકે પોસ્ટ એ રીતે લખી હતી કે વીણા વર્લ્ડ પર વિશ્વાસ ધરાવનારના મનમાં પણ શંકા ઊપજે. આ પોસ્ટ સિંગાપોર થાઈલેન્ડ મલેશિયાની વીણા વર્લ્ડની અત્યંત લોકપ્રિય સહેલગાહ વિશે હતી. હજારો પર્યટકોએ આ સહેલગાહનો આનંદ લીધો છે. આ સહેલગાહ ફેઈલ જવાનું શક્ય જ નથી. ટુર અત્યંત વ્યવસ્થિત ચાલતી હતી, પર્યટકો પણ આનંદમાં હતા. સર્વ સ્થળદર્શન કાર્યક્રમ અનુસાર વ્યવસ્થિત પાર પડતા હતા. મલેશિયા કરીને છેલ્લા ત્રણ દિવસ માટે આ સહેલગાહ સિંગાપોર તરફ નીકળી હતી ત્યાં સમાચાર આવ્યા કે સિંગાપોર બોર્ડર્સ સીલ કરી રહ્યું છે. નો એન્ટ્રી. આવા સમયે એરલાઈનના સહયોગથી આ સહેલગાહ અમે સિંગાપોરમાં નહીં લઈ જતાં મુંબઈમાં પાછી લાવ્યા. સિંગાપોરની બચેલી સહેલગાહનું શું કરવું તે વિશે અમે સિંગાપોર પાર્ટનર્સને જણાવવા કહ્યું. આ જ સમયે અમારી એક ન્યૂઝીલેન્ડની સહેલગાહ પણ ચાલુ હતી. તેમને પણ અમે બાવીસ માર્ચે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ બંધ થવા પૂર્વે વધુ નાણાં ખર્ચ કરીને મહામહેનતે વાયા દિલ્હી મુંબઈ લાવ્યા. તેમાંથી અમુક વરિષ્ઠ પર્યટકોને સાવધાની તરીકે દિલ્હીમાં થોભવું પડ્યું. આ સહેલગાહમાં હનીમૂન કપલ શ્રી ગંધાર દિગ્રજકરના શબ્દમાં કહેવામાં આવે તો ‘દુનિયામાં સર્વત્ર કોરોના વિશેના સમાચાર હતા પણ અમે નિશ્ર્ચિંત હતા, કારણ કે વીણા વર્લ્ડ સંગાથે હતી.’ અને અમે અમારી ફરજ પાર પાડતાં હતાં લોકડાઉન પૂર્વે તેમને ભારતમાં લાવવા. વારુ, આ સિંગાપોરની વાઈરલ થયેલી અને વીણા વર્લ્ડને બદનામ કરવાના ઉદ્દેશ સાથેની પોસ્ટમાં આ વ્યક્તિએ કહ્યું છે, ‘ઝી-24 તાસ ચેનલ પર જાહેર કરવામાં આવ્યું છે કે વીણા વર્લ્ડ મારફત દુબઈમાં મોકલવામાં આવેલા પ્રવાસીનું મૃત્યુ કોરોના વાઈરસને લીધે થયું છે.’ જે વ્યક્તિએ જિલ્લા ન્યાયાધીશ પદે અને પુણે જિલ્લા ગ્રાહક મંચ પર કામ કર્યું છે તે વ્યક્તિએ કોઈ પણ આરોપ કોઈની પર પણ કરતી વખતે તેની વિશ્ર્વસનીયતા તપાસવી નહીં જોઈએ શું? લોકોને તરત જ વિશ્વાસ બેસે તે માટે તેમણે વીણા વર્લ્ડના પર્યટકને ડાયરેક્ટ મારી નાખ્યો? આવી અફવા ફેલાવનારા સામે એક્ચ્યુઅલી કાર્યવાહી થવી જોઈએ. કોરોનાને લીધે કોઈનું પણ મૃત્યુ નહીં થવું જોઈએ એવી ભગવાનને પ્રાર્થના કરવા સાથે મને અહીં કહેવાનું મન થાય છે કે વીણા વર્લ્ડની તે દુબઈ ટુર પરથી આવેલા બધા ચાળીસ પર્યટકો અને અન્ય બધી સહેલગાહમાંથી આવેલા પર્યટકો હેમખેમ છે. અને સૌપ્રથમ સાજા થયેલા અમારા પર્યટક પર ઝી ટીવીએ બહુ સારી ડોક્યુમેન્ટરી તૈયાર કરી હતી તેમના હોસ્પિટલના ડિસ્ચાર્જના દિવસે. પોતાની પ્રસિદ્ધિ માટે અને વીણા વર્લ્ડનું નામ બદનામ કરવા માટે પેલી જવાબદાર વ્યક્તિએ આટલા નીચેના સ્તરે જવું જોઈએ? જે સમયે અમે તેમને રીતસર પત્ર મોકલ્યો ત્યારે ‘હવે લોકડાઉન છે 19 માર્ચથી 12 એપ્રિલ સુધી, હું ક્વોરન્ટાઈનમાં છું. આપણે ચૌદ એપ્રિલ પછી જોઈશું’ કહીને તેમનો બે લાઈનનો પત્ર આવ્યો. અમે બીજા પત્ર દ્વારા જવાબ પૂછ્યા પછી ફરી હોમ ક્વોરન્ટાઈનનું કારણ આપીને... I have no personal grudge against anybody previously I went to manali tour through Veena World along with my family… આવો જબાબ આ વ્યક્તિ મોકલે છે? આ પોસ્ટથી વીણા વર્લ્ડનું ક્યારેય નહીં ભરી શકાય તેટલું નુકસાન કર્યું તેનું શું? અમારા વીણા વર્લ્ડ પરિવારના એક હજારથી વધુ ટીમ મેમ્બર્સનું મનોબળ તોડી પાડ્યું તેનું શું? એક ઉદ્યોગ ઊભો કરવા માટે-અનેકોની આજીવિકાનું સાધન નિર્માણ કરવા અનેક વર્ષની મહેનત લાગે છે. બેસુમાર મહેનત કરવી પડે છે અને વીણા વર્લ્ડ તેવી જ બધી મહેનતમાંથી નિર્માણ થઈ છે. સોશિયલ મિડિયા હાથમાં છે તેથી કશું પણ લખવાની આઝાદી છે તેથી જવાબદારીના હોદ્દા પર કામ કરનારી વ્યક્તિએ આવું બેજવાબદારીથી ગમે તે કરવું જોઈએ? એકાદ કંપનીને ઓલમોસ્ટ ખૂની તરીકે ઘોષિત કરવાની? આટલું ઓછું હોય તેમ વાચકોની વધુ સહાનુભૂતિ મેળવવા માટે ‘વીણા વર્લ્ડે પોતાના કર્મચારીઓની પણ ફિકર કરી નહીં’ એવું વિધાન કર્યું. ‘અમે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ’ વાળા લોકો છીએ. માર્ચના પહેલા અઠવાડિયા સુધી અમે પણ પોતાનો પ્રવાસ કરતા હતા. સિંગાપોર એરલાઈન્સ દ્વારા અમે, એટલે કે, હું અથવા નીલ સોળ માર્ચે સિંગાપોરમાં જવાનાં હતાં અને ત્યાંની પરિસ્થિતિ કેટલી વ્યવસ્થિત છે, શું પ્રિકોશન લેવામાં આવી રહ્યા છે તે બતાવવાં હતાં. એરલાઈન્સ હોય કે ટુરીઝમ બોર્ડસ હોય કે અમારી જેવી
નાની-મોટી ટ્રાવેલ કંપનીઓ હોય, દરેક જણ આવનારા સંકટનો સામનો કરવા માટે પ્રયાસોની પરાકાષ્ઠા કરતાં હતાં. જાપાન, અમેરિકા, દુબઈ, સિંગાપોર, સ્વિટઝર્લેન્ડ જેવા મોટા મોટા દેશોનો પણ તેવો જ પ્રયાસ હતો. તેમનું જ શું, મેમાં યુરોપમાં જનારા અમારા એક પર્યટક કહે છે, ‘બધું સમુંસૂતર હોય તો આપણે જઈએ, અમે તૈયાર છીએ.’ અનેક પર્યટકોએ ‘સપ્ટેમ્બરથી સહેલગાહ શરૂ કરો’ કહીને આગ્રહ કર્યો છે. પર્યટકો પણ સાહસિક હોય છે. (કાશ્મીરમાં અનેક વર્ષો આતંકની લટકતી તલવાર હોવા છતાં અમારી ટૂરમાં જવાનું પ્રવાસિઓનો આગ્રહ હતો.) આ વર્ષે પણ શંકાસ્પદ માહોલ હોવા છતાં અમે કાશ્મીરની કોઈ પણ જાહેરાત નહીં કરવા છતાં કાશ્મીરની સહેલગાહ ફુલ હતી. પુણેની પર્યટન સંસ્થાએ એકત્ર આવીને સહેલગાહ ચાલુ રાખીએ, આટલા જલદી કેન્સલેશનનો નિર્ણય નહીં લો એવું નિવેદન આપ્યું હોવાના સમાચાર અખબારોમાં તમે વાંચ્યા જ હશે. દરેક જણ પોતપોતાની રીતે ટુરીઝમ ચાલુ રહે તે માટે પ્રયાસ કરતા હતા. વારુ, તો આ વ્યક્તિ એક બાજુ જવાબ આપવા માટે હોમ ક્વોરન્ટાઈનનું કારણ આપીને 14 એપ્રિલ સુધીનો સમય માગતી હતી પણ તેમણે જ તેમના જ ઉત્તરમાં લખેલા પત્રમાં નોંધ કરેલા

19 માર્ચથી 12 એપ્રિલના હોમ ક્વોરન્ટાઈનના સમયગાળામાં 23 માર્ચે આટલી મોટી  બદનામીકારક પોસ્ટ બનાવીને તે એક વેબપોર્ટલ સાથે સાઠગાંઠ કરીને વાઈરલ કરી તે કઈ રીતે? લોકડાઉનનો અથવા હોમ ક્વોરન્ટાઈનનો આ રીતે તમે જોઈએ તેવો આધાર કઈ રીતે લઈ શકો? હવે આ વાત અમે નિશ્ર્ચિત જ સિરિયસ્લી લીધી છે અને આગળ લઈ જઈ રહ્યાં છીએ.

એક પ્રશ્ન મનમાં એ આવે છે કે, ‘વ્હાય વીણા વર્લ્ડ?’ લાખ્ખો પ્રવાસી વિદેશમાંથી ભારતમાં આવજા કરતા હતા પણ મહારાષ્ટ્રમાં પેશન્ટ મળવા વીણા વર્લ્ડની જ ટુર મળવી જોઈએ? આજે પણ બાલીમાં ભારતીય હનીમૂન કપલ્સ અટવાયાં છે. તેમણે ઓનલાઈન પોર્ટલ પર બુકિંગ કર્યું હતું, તેમનો કોઈ ધણીદોરી નથી, તે  કંપનીઓને જવાબ પૂછનારું કોઈ નથી? દુનિયામાં બધા જ દેશમાં
અલગ અલગ દેશના પર્યટકો અટવાઈ ગયા છે. ભારતમાં અટવાઈ ગયેલા અમેરિકન પર્યટકોને લઈ જવા માટે ગયા આઠવાડિયામાં અમેરિકાએ તેમનું વિમાન ભારતમાં મોકલ્યું હતું. એર ઈન્ડિયા આ કામ આપણા અટવાઈ ગયેલા ભારતીય પર્યટકો માટે કરી રહી છે. પરમદિવસે ઓસ્ટ્રેલિયામાં અટવાઈ ગયેલા ગાંધી નામના યુવાનનો મને હૃદયદ્રાવક મેઈલ આવ્યો, ‘અમને અહીંથી બહાર કાઢો.’ અમે ઓસ્ટ્રેલિયા ટુરીઝમ બોર્ડ, ત્યાંના ઈન્ડિયન એમ્બેસી અને અન્ય સંબંધિતોને આ મેઈલ ફોર્વર્ડ કર્યો છે અને તેનું પણ શક્ય માર્ગદર્શન કર્યું છે. એરપોર્ટ પર અટવાઈ પડેલા, ક્રુઝ પર અટવાઈ પડેલા અથવા હોટેલમાં અટવાઈ પડેલા લોકોની આવી અનેક વાર્તાઓ છે. અમે જોકે અમારા બધા પર્યટકોને વ્યવસ્થિત ભારતમાં લાવ્યાં. અર્થાત તે અમારી જવાબદારી છે અને અમે ક્યારેય હાથ ઉપર નહીં કરીએ છતાં અમારું નામ સંડોવાયું છે. વાંધો નહીં, કહેવાય છે ને, ‘ભગવાન એવા લોકોના ખભા પર જ બોજ આપે છે જેઓ તે ઉપાડી શકે.’ આ વખતે તેણે આપણને પસંદ કર્યા છે, લેટ્સ ફેસ ઈટ! આપણા ખભા વધુ મજબૂત બનાવીએ. અમારી ટીમમાં કાયમ એક વાત એકબીજાને કહેતાં હોઈએ છીએ, ‘આપણી ભૂલ હોય તો ડરવાનું પણ જ્યારે આવું કોઈક વાઈરલ પોસ્ટ જેવું કાંઈક જાણીબૂજીને કરે છે ત્યારે ભાંગી પડવું નહીં અને ગભરાઈ તો બિલકુલ નહીં જવું જોઈએ. શાંત રહીને તેનો સામનો કરીએ.’

અમુક લોકો એવી પણ સલાહ આપે છે કે ‘ધ્યાન નહીં આપો સોશિયલ મિડિયા પર, તમે તમારું કામ કરતાં રહો.’ બરોબર છે, કામ તો અમે કરતાં જ રહીશું.
આ ચેપી રોગ અગાઉના અનેક રોગો પ્રમાણે થોડા દિવસ મુકામ કરીને જવાનો છે. નોર્મલ્સી આવ્યા પછી ગવર્નમેન્ટે ગ્રીન સિગ્નલ આપ્યા પછી પહેલી સહેલગાહ વીણા વર્લ્ડની જ હશે, કારણ કે અમારા પર્યટકો પણ તે માટે ઉત્સુક છે. જોકે આ વસ્તુસ્થિતિ તમારી સમક્ષ રજુ કરવાણો હેતુ માત્ર એટલોચં કે ક્યારે એવું બને છે કે વારંવાર બતાવામાં આવતા ખોટા સમાચાર આંણે સાચા લાગવા માંડે છે. અહીં તો વાત એવી હતી કે એકાદ માનસિક રીતે મજબૂત નહીં હોય તેવી વ્યક્તિ અથવા સંસ્થા જીવનમાંથી ઊઠી શકી હોત.

આપણા સન્માનનીય વડા પ્રધાન આખા દેશને એકત્ર કરીને કોવિડ-19 સંકટનો સામનો કરી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે પણ ઝટપટ બધી બાબતો પર કંટ્રોલ મેળવ્યો છે. લોકડાઉન કરવાનું પ્રથમ પગલું ઊંચકવાથી હાલમાં પણ કોવિડ-19 સ્પ્રેડ  આપણે ત્યાં નિયંત્રણમાં છે. અમેરિકા જેવી મહાસત્તાની કેવી સ્થિતિ થઈ ગઈ છે તે જોયું ને. આપણી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મહાનગરપાલિકા, વિવિધ હોસ્પિટલ્સના ડોક્ટરો, નર્સો, હેલ્થકેર ટીમ, પોલીસ ફોર્સ, સિક્યુરિટી ફોર્સ, સફાઈ કર્મચારીઓ, અત્યાવશ્યક સેવા આપતા લોકો, બેન્ક ઓફિશિયલ્સ અને
પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રીતે તેમની પડખે ઊભા રહેલા બધા સેવાભાવી દેવદૂતોને વીણા વર્લ્ડ તરફથી હું મન:પૂર્વક સાષ્ટાંગ દંડવત કરું છું. તમારા બધાના મન:પૂર્વક આભાર.

આપણે બધા પોતપોતાનાં ઘરોમાં જ રહીને સરકારના પ્રયાસોમાં સહભાગી થઈએ અને કોવિડ-19 ને કંટ્રોલ કરીને દુનિયાની સામે એક આદર્શ દાખલો મૂકીએ.

સ્ટે હોમ! સ્ટે કાલ્મ!! સ્ટે સેફ!!

April 05, 2020

Author

Veena Patil
Veena Patil

‘Exchange a coin and you make no difference but exchange a thought and you can change the world.’ Hi! I’m Veena Patil... Fortunate enough to have answered my calling some 40+ years ago and content enough to be in this business of delivering happiness almost all my life. Tourism indeed moulds you into a minimalist... Memories are probably our only possession. And memories are all about sharing experiences, ideas and thoughts. Life is simple, but it becomes easy when we share. Places and people are two things that interest me the most. While places have taken care of themselves, here are my articles through which I can share some interesting stories I live and love on a daily basis with all you wonderful people out there. I hope you enjoy the journey... Let’s go, celebrate life!

More Blogs by Veena Patil

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Looking for something?

Embark on an incredible journey with Veena World as we discover and share our extraordinary experiences.

Balloon
Arrow
Arrow

Request Call Back

Tell us a little about yourself and we will get back to you

+91

Our Offices

Coming Soon

Located across the country, ready to assist in planning & booking your perfect vacation.

Locate nearest Veena World

Listen to our Travel Stories

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top